Skip to main content

જી.જી.હોસ્પિટલમાંથી રજા અપાયેલ 5ાંચ દર્દીઓને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલાયા



જામનગર તા.15 : 
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સરકારી કોવિડ-19 હોસ્પિટલમાંથી ગઇકાલે ત્રણ મહિલા દર્દીઓ સાજા તથા તેઓને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ બે દર્દીઓને આજે બપોરે રજા આપવામાં આવી હતી.
જામનગરમાં 5 એિ5્રલથી 14 મે સુધીના 40 દિવસના સમયગાળા દરમ્યિાન કોરોના પોઝીટીવના કુલ 34 કેસ નોંધાયા છે. આ પૈકી બે બાળ દર્દીના અન્ય તકલીફોને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મૃત્યું નિપજ્યા હતાં. જયારે અન્ય દર્દીઓની સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, દરેડમાં પ્રથમ કેસ 5 એપ્રિલના રોજ નોંધાયા બાદ 26 દિવસ સુધી કોઇ કેસ નવો નોંધાયો ન હોવાથી તંત્ર વાહકો અને લોકોમાં રાહતની લાગણી હતી. પરંતુ 1 લી મે બાદ કોરોના પોઝીટીવ કેસ સતત બહાર આવવા લાગ્યા હતાં.
જામનગર જિલ્લામાં કોરોનાના પોઝીટીવ અને શંકાસ્પદ મળીને કુલ 28 દર્દીઓ હાલ જી.જી.કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાહેર કરાયું છે. ગઇકાલે 3 મહિલા દર્દીઓને સારી રીકવરી જણાતા અને હરતી-ફરતી થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ મહિલાઓમાં સબાનાબેન, મેઝબીનબેન અને રૂબિનાબેનનો સમાવેશ થાય છે. ત્યારબાદ આજે બપોરે વધુ બે દર્દીઓ સ્વસ્થ જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓને જી.જી.હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ આયુર્વેદ યુનિવર્સિટી ખાતેના સંભાળ કેન્દ્ર ખાતે ક્વોરેન્ટાઇન હેઠળ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અહિં તેઓ 7 થી 10 દિવસ રહેશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...