Skip to main content

જામનગર જિલ્લામાં આજે નવા 4 પોઝીટીવ કેસ નોંધાયા

જામનગર જિલ્લાનો કોરોના પોઝીટીવનો આંક વધીને 33 ઉપર પહોંચ્યો


જામનગર તા.13
જામનગર જિલ્લાને જાણે કોરોનાની લપડાક સતત ચાલુ રહી હોય તેમ, આજે વધુ 4 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સાથે જ જામનગર જિલ્લાનો કોરોના પોઝીટીવ કેસનો આંક 33 પર પહોંચ્યો છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના પ્રવાહને લઇને વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે થયું છે.
જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ  સતત પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગત સપ્તાહમાં 15 કેસ પોઝીટીવ નોંધાયા બાદ હજી પોઝીટીવ આવવાનો સીલસીલો ચાલુ રહ્યો છે.
જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આવેલી લેબોરેટરીમાં ગત્ રાત્રે આવેલા 22 સેમ્પલોમાંથી મોરબી જિલ્લાના 7 અને પોરબંદર જિલ્લાના 12 સેમ્પલનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત સેમ્પલોના પરિક્ષણમાં જામનગર જિલ્લાના વધુ 4 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલ કોરોનાના 28 પોઝીટીવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગઇકાલે રાત્રે થયેલા પરિક્ષણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામસલાયા ગામના 7 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં.
જામનગર જિલ્લામાં આવેલા સરકારી અને ખાનગી ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં આજની સ્થિતિએ કુલ 1458 લોકોને રાખવામાં આવ્યા છે. જામનગર જિલ્લાનો કોરોના પોઝીટીવના કેસનો આંક વધીને 33 થયો છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...