Skip to main content

જામનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા દર્દીઓનો આંક 28એ પહોંચ્યો

અમદાવાદથી આવેલા અને કવોરેન્ટાઇન થયેલ: જામનગરમાં પ્રવેશ્યા નથી જો કે લોકોમાં ચિંતાનું મોજુ 



જામનગર તા.11:જામનગરમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા કુલ આંક 28એ પહોંચ્યો છે. આ બન્ને પોઝીટીવ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં જ કવોરેન્ટાઇન કરેલા હોય જામનગર શહેરમાં પ્રવેશ્યા ન હતા. જો કે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પોઝીટીવ કેસ જે વિસ્તારમાંથી નોંધાયા છે. તે વિસ્તારમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  જામનગરની જી.જી.હોસ્પિટલમાં લેબોરેટરી પરીક્ષણમાં આજે વધુ બે કેસ પોઝીટીવ આવ્યા હતા. અત્યાર સુધીમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના 28 કેસ નોંધાઇ ચુકયા છે. આજે આવેલા બન્ને કેસ પણ અમદાવાદથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બન્ને પોઝીટીવ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં જ કવોરેન્ટાઇન થયેલા હતા. તે દરમ્યાન જ બન્નેનું પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેથી જામનગર શહેરમાં આ બન્ને દર્દીઓ પ્રવેશ્યા નથી. આમ છતા જામનગરમાં પટેલ કોલોની શેરી.નં.10માં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે પટેલ કોલોની શેરી.નં.10માં સી.સી.ડી.સી. ફલેટમાં રહેતા હતા અને તેઓ અમદાવાદ ગયેલ હતા. તેવી જ રીતે રણજીત સાગર રોડ ઉપર મારવાડી વાસમાં રહેતા 35 વર્ષીય પુરૂષનો કેસ પોઝીટીવ આવ્યો છે. આ પોઝીટીવ કેસ ધરાવતા વ્યકિત પણ અમદાવાદ ગયેલ હતા ત્યારબાદ તેઓને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરાયેલા હતા. તે દરમ્યાન આજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જામનગરમાં પટેલ કોલોની શેરી.નં.10માં રહેતા 63 વર્ષીય પુરૂષનો જે કેસ પોઝીટીવ નોંધાયેલ છે. તે વ્યકિત પણ અમદાવાદ ગયા હતા અને પરત સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન થયેલ. આજે તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે સદનશીબે આ બન્ને પોઝીટીવ દર્દીઓ જામનગર શહેરમાં પ્રવેશ્યા નથી. આમ છતા જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા પટેલ કોલોની શેરી.નં.10 અને મારવાડીવાસ વિસ્તારમાં સઘન ઝુંબેશ સફાઇ સહિત દવાનો છુંટકાવ, સેનેટાઇઝની હાથ ધરાઇ છે. જો કે આ વિસ્તારમાં કેસ નોંધાતા જ રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. (તસ્વીર : ધર્મેશ રાવલ/ હિતેષ મકવાણા)

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...