Skip to main content

જામનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા દર્દીઓનો આંક 28એ પહોંચ્યો

અમદાવાદથી આવેલા અને કવોરેન્ટાઇન થયેલ: જામનગરમાં પ્રવેશ્યા નથી જો કે લોકોમાં ચિંતાનું મોજુ 



જામનગર તા.11:જામનગરમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા કુલ આંક 28એ પહોંચ્યો છે. આ બન્ને પોઝીટીવ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં જ કવોરેન્ટાઇન કરેલા હોય જામનગર શહેરમાં પ્રવેશ્યા ન હતા. જો કે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પોઝીટીવ કેસ જે વિસ્તારમાંથી નોંધાયા છે. તે વિસ્તારમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  જામનગરની જી.જી.હોસ્પિટલમાં લેબોરેટરી પરીક્ષણમાં આજે વધુ બે કેસ પોઝીટીવ આવ્યા હતા. અત્યાર સુધીમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના 28 કેસ નોંધાઇ ચુકયા છે. આજે આવેલા બન્ને કેસ પણ અમદાવાદથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બન્ને પોઝીટીવ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં જ કવોરેન્ટાઇન થયેલા હતા. તે દરમ્યાન જ બન્નેનું પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેથી જામનગર શહેરમાં આ બન્ને દર્દીઓ પ્રવેશ્યા નથી. આમ છતા જામનગરમાં પટેલ કોલોની શેરી.નં.10માં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે પટેલ કોલોની શેરી.નં.10માં સી.સી.ડી.સી. ફલેટમાં રહેતા હતા અને તેઓ અમદાવાદ ગયેલ હતા. તેવી જ રીતે રણજીત સાગર રોડ ઉપર મારવાડી વાસમાં રહેતા 35 વર્ષીય પુરૂષનો કેસ પોઝીટીવ આવ્યો છે. આ પોઝીટીવ કેસ ધરાવતા વ્યકિત પણ અમદાવાદ ગયેલ હતા ત્યારબાદ તેઓને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરાયેલા હતા. તે દરમ્યાન આજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જામનગરમાં પટેલ કોલોની શેરી.નં.10માં રહેતા 63 વર્ષીય પુરૂષનો જે કેસ પોઝીટીવ નોંધાયેલ છે. તે વ્યકિત પણ અમદાવાદ ગયા હતા અને પરત સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન થયેલ. આજે તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે સદનશીબે આ બન્ને પોઝીટીવ દર્દીઓ જામનગર શહેરમાં પ્રવેશ્યા નથી. આમ છતા જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા પટેલ કોલોની શેરી.નં.10 અને મારવાડીવાસ વિસ્તારમાં સઘન ઝુંબેશ સફાઇ સહિત દવાનો છુંટકાવ, સેનેટાઇઝની હાથ ધરાઇ છે. જો કે આ વિસ્તારમાં કેસ નોંધાતા જ રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. (તસ્વીર : ધર્મેશ રાવલ/ હિતેષ મકવાણા)

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...