Skip to main content

આજે 2400 મજૂરો બે ટ્રેનમાં વતન જવા રવાના





ગઇકાલે 1200 મજૂરોને લઇ ઉત્તરપ્રદેશના ગાઝીપુર માટે રાત્રે રવાના કરાયા બાદ આજે બપોરે સ્પેશ્યલ ટ્રેન મારફત 1200 મજૂરોને બિહારના મુઝફફરપુર સુધી જવા રવાના કરાયા
જામનગર તા.7
પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી હિઝરત કરી રહ્યાં છે. મધ્યપ્રદેશના હજારો મજૂરો બસ મારફત વતન પહોંચે તે પહેલાં 1200 મજૂરોને લઇને સ્પેશ્યલ ટ્રેન ગાઝીપુર (ઉત્તરપ્રદેશ) જવા માટે જામનગરથી ગઇરાત્રે રવાના થઇ હતી. આ પછી આજે બપોરે જામનગરથી બિહારના મુઝફફરપુર જવા માટે 1200 મજૂરોને લઇને વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં બ્રાસપાર્ટના કારખાના, અન્ય ઉદ્યોગો અને ખેતીવાડી ક્ષેત્રે મજૂરી કરતા મજૂરોની હિઝરત મોટાપાયે શરૂ થઇ છે. 40 દિવસના લોકડાઉન બાદ હવે મજૂરો પાસેથી અગવડતા અને ધીરજ બંન્ને ખૂટી પડતા તેઓ વતન જવા માટે મોટી સંખ્યામાં નામ નોંધાવી રહ્યાં છે.
જામનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ઉત્તરપ્રેશના 2400 અને બિહારના 1200 મજૂરોની યાદી અમારી પાસે તૈયાર છે. જેઓએ વતન જવા માંગણી કરી હતી. આ પછી પણ માંગણી (અરજી)નો મારો સતત ચાલુ છે.
રેલવે સાથે પરામર્શ કરીને ટ્રેનની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુર સ્ટેશન સુધી જનારી પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ગઇરાત્રે જામનગર રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી હતી.
આ આયોજનની વિગતો સુરત કે અન્ય શહેરો જેવી અરાજકતા કે અંધાધૂંધી ફેલાય તેવી ઘટના ન બને તે હેતુથી સાર્વજનિક કરવામાં આવી ન હતી.  બસોની વ્યવસ્થા કરીને ગઇકાલની ટ્રેનમાં જનારા ઉત્તરપ્રદેશના યાદી મુજબના 1200 મજૂરોનો સંપર્ક કરી તેઓને નવી સુચના આવે પછી જ તે સમયે ઘરની બહાર નિકળવા કહેવાયું હતું. આ લોકોને બપોરે 4:00 વાગ્યાથી બસોમાં બેસાડી રેલવે સ્ટેશને મોકલવાનું શરૂ કરાયું હતું.
રેલવે સ્ટેશન પાસે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મુસાફરોને કતારમાં ઉભા રાખી મેડીકલ ટીમ દ્વારા તપાસ કરાઇ હતી. બાદમાં તમામને ટિકીટ તેમજ ફૂડપેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી. શિસ્તબધ્ધ અને શાંતિપૂર્વક રીતે આ બધી કામગીરી સંપન્ન થઇ હતી. જે બદલ આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમને તેઓએ અભિનંદન આપ્યા હતાં તેમજ જરૂરી સહકાર બદલ રેલવે પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.
ગાઝીપુર રેલવે સ્ટેશન સુધી જઇ રહેલાં મજૂર પ્રવાસીઓ પાસેથી રૂા.725 લેખે ટીકીટભાડૂ વસુલ કરવામાં આવ્યું હતું. અનેક મજૂરોને આ માટે તેમના માલિકોએ મદદ કરી હતી તો કેટલાંકને પોલીસે ટીકીટ માટે પૈસા આપ્યા હતાં. જ્યારે અસંખ્ય મજૂરોએ પોતાના વતનથી બેંક ખાતા મારફત પૈસા મંગાવવા પડ્યા હોવાનું મજૂરોએ જણાવ્યું હતું. આ ટ્રેનમાં 1200 જેટલા મુસાફરો રવાના થયા છે જે આવતીકાલે તેમના વતન પહોંચશે.
આજ રીતે આજે જામનગર રેલવે સ્ટેશનથી બિહારના મુઝફ્ફરપુર સ્ટેશન સુધી જવા માટે પરપ્રાંતિય 1200 જેટલા મજૂરોને લઇને વધુ એક ટ્રેન આજે બપોરે 12:00 વાગ્યે રવાના થઇ હતી. આ મજૂરોને પણ ગઇકાલ પ્રમાણેની પ્રોસીઝર કરીને તેમજ ફૂડપેકેટ અને પાણીની બોટલ આપીને રવાના કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
આ તમામ પ્રક્રિયા વખતે રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ, જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, એએસપી સફીન હસન તેમજ કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમ ખડેપગે રહી હતી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...