Skip to main content

જામનગરથી આજે વધુ 1 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન રવાના

બિહારના પટણા નજીક દાનાપુર સ્ટેશને શનિવારે સવારે પહોંચશે ટ્રેન : બપોરે 12 વાગ્યે ઉપડેલી ટ્રેનમાં 1616 શ્રમિકોને વતન જવાની તક મળી : અગાઉ 4 ટ્રેન યુ.પી. અને 2 ટ્રેન બિહાર માટે દોડી હતી


જામાનગર તા.14:
પરપ્રાંતિય મજુરોને તેના વતન મોકલવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સરકારની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા કરી રહ્યું છે. આજે વધુ એક ટ્રેન બિહાર માટે રવાના થઇ હતી. જેમાં 1600થી વધુ મજુરોએ વતનની વાટ પકડી હતી.
જામનગર જિલ્લામાં 1 લાખથી પણ વધુ પરપ્રાંતિય મજુરો ઉદ્યોગ અને ખેતીક્ષેત્રે કામ કરતા હતા. આ પૈકી 45 હજાર જેટલા મજુરો તેના વતન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વિગેરે રાજયોમાં બસ અને ટ્રેન મારફત મોકલવામાં આવી ચુકયા છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના મજુરોને ટ્રેન મારફત મોકલવાના વિકલ્પને પ્રાયોરીટીમાં અમલી બનાવાઇ રહ્યો છે.
અત્યાર સુધીમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર ઉત્તરપ્રદેશ અને બિહાર માટે 6 ટ્રેન જામનગરથી ખાસ મોકલી હતી. જેમાં 700થી વધુ મજુરોને વતન જવાની તક મળી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકો માટે 1100 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કુલ 38000 જેટલા મજુરોને મોકલાયા હતા.
જામનગર જિલ્લા વહીવટી ઓફિસર રવિશંકરના જણાવ્યા અનુસાર રજીસ્ટ્રેશનના લીસ્ટ મુજબ શ્રમિકોનો મોકલવાની કામગીરી થઇ રહી છે. જેમનો પ્રવાસ નક્કી થાય તેને ફોન કરી સમય અને સ્થળ (બસ કે ટ્રેનનું) જણાવી તેડવા-મુકવાની વ્યવસ્થા કરાય છે. ટ્રેનમાં જતા મુસાફરોને ટ્રેનમાં રેલવે દ્વારા પણ ભોજન-પાણી આપવામાં આવે છે. 
આજે 7મી શ્રમિક ટ્રેન જામનગર રેલવે સ્ટેશનથી બપોરે 12 વાગ્યે બિહારની રાજધાની પટના નજીકના દાનાપુર રેલવે સ્ટેશન સુધી જવા રવાના થઇ હતી. આ ટ્રેનમાં 22 કોચ લગાડવામાં આવ્યા છે. અને તેમા કુલ 1616 શ્રમિકોને આરોગ્ય તપાસણી કર્યા બાદ બેસાડવામાં આવ્યા હતા. આ ટ્રેન માટે જામનગરથી દાનાપુર સુધીનું મુસાફરી ભાડું રૂા.765 વસુલ કરવામાં આવ્યું હતું. આમ આજની ટ્રેન સહિત કુલ 7 ટ્રેનમાં સાડા આઠ હજારથી વધુ મુસાફરોને વતન રવાના કરાયા  આજે બપોરે 12 વાગ્યે જામનગર રેલવે સ્ટેશનથી રવાના થયેલી આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન શનિવારે સવારે બિહારના દાનપુર રેલવે સ્ટેશને પહોંચશે તેમ રેલવેના સુત્રોએ જણાવ્યું હતું. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.