Skip to main content

અમદાવાદથી પરત ફરેલા જામનગરના 19 તબીબોને કવોરેન્ટાઇન કરાયા



જામનગર તા.8 :
જામનગરથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ ફરજ બજાવવા ગયેલા 24 ડોકટરો પૈકીના 19 ડોકટરોની ટીમ મોડી રાત્રે પરત ફરી હતી. જયારે 4 પોઝીટીવ સહિત પાંચ ડોકટરોને અમવાદ રોકીને સારવાર અપાઇ રહી છે. જામનગર આવેલા તમામ તબીબોને કવોરેન્ટાઇનમાં મુકી દેવાયા છે.
જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ અને ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના મેડીસીન તથા એનેસ્થેસિયા વિભાગના 9-9 રેસીડેન્ટ ડોકટર અને 3-3 સિનિયર ડોકટરોને ડેપ્યુટેશન ઉપર 1 લી મે ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મોકલાયા હતાં.
રાજયના આરોગ્ય કમિશ્ર્નરની સુચનાથી આ ટીમને જામનગરથી અમદાવાદ મોકલવામાં આવી હોવાનું મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઇએ જણાવ્યું હતું. અમદાવાદમાં ફરજ દરમ્યિાન જામનગરના ડોકટરોને ઇન્ફેકશન લાગ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ પૈકી પાંચ ડોકટરોમાં કોરોના જેવો રિપોર્ટ આવતા ડિટેઇલ રિપોર્ટ કરાયેલ અને સેમ્પલ લેવાયા હતા જેમાં કુલ 4 ડોકટરને કોરોના પોઝીટીવ આવ્યા હતા અને 1 નો રિપોર્ટ પેન્ડીંગ હતો. આ પાંચેયને અમદાવાદમાં કોરોન્ટાઇન સેન્ટર તરીકે રખાયેલી ખાનગી હોટલમાં રાખવામાં આવ્યા છે.
આ પાંચ સિવાયના બાકીના 19 તબીબોની ટીમ મોડી રાત્રે જામનગર આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોને કવોરેન્ટાઇનમાં રાખવા માટે તેમના આગમન પુર્વે જ આરોગ્ય તંત્રે તૈયારી કરી લીધી હતી. ડીન બંગલો તેમજ લાખાબાવળ ખાતે આવેલ ખાનગી ટ્રસ્ટના લીલાવતી નેચરોપેથી સેન્ટર ખાતે જરૂરી સુવિધા ઊભી કરાઇ હતી. જયાં આ ટીમના સભ્યોને રાખવામાં આવ્યા હતાં. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.