Skip to main content

અમદાવાદથી પરત ફરેલા જામનગરના 19 તબીબોને કવોરેન્ટાઇન કરાયા



જામનગર તા.8 :
જામનગરથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ ફરજ બજાવવા ગયેલા 24 ડોકટરો પૈકીના 19 ડોકટરોની ટીમ મોડી રાત્રે પરત ફરી હતી. જયારે 4 પોઝીટીવ સહિત પાંચ ડોકટરોને અમવાદ રોકીને સારવાર અપાઇ રહી છે. જામનગર આવેલા તમામ તબીબોને કવોરેન્ટાઇનમાં મુકી દેવાયા છે.
જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ અને ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના મેડીસીન તથા એનેસ્થેસિયા વિભાગના 9-9 રેસીડેન્ટ ડોકટર અને 3-3 સિનિયર ડોકટરોને ડેપ્યુટેશન ઉપર 1 લી મે ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મોકલાયા હતાં.
રાજયના આરોગ્ય કમિશ્ર્નરની સુચનાથી આ ટીમને જામનગરથી અમદાવાદ મોકલવામાં આવી હોવાનું મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઇએ જણાવ્યું હતું. અમદાવાદમાં ફરજ દરમ્યિાન જામનગરના ડોકટરોને ઇન્ફેકશન લાગ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ પૈકી પાંચ ડોકટરોમાં કોરોના જેવો રિપોર્ટ આવતા ડિટેઇલ રિપોર્ટ કરાયેલ અને સેમ્પલ લેવાયા હતા જેમાં કુલ 4 ડોકટરને કોરોના પોઝીટીવ આવ્યા હતા અને 1 નો રિપોર્ટ પેન્ડીંગ હતો. આ પાંચેયને અમદાવાદમાં કોરોન્ટાઇન સેન્ટર તરીકે રખાયેલી ખાનગી હોટલમાં રાખવામાં આવ્યા છે.
આ પાંચ સિવાયના બાકીના 19 તબીબોની ટીમ મોડી રાત્રે જામનગર આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોને કવોરેન્ટાઇનમાં રાખવા માટે તેમના આગમન પુર્વે જ આરોગ્ય તંત્રે તૈયારી કરી લીધી હતી. ડીન બંગલો તેમજ લાખાબાવળ ખાતે આવેલ ખાનગી ટ્રસ્ટના લીલાવતી નેચરોપેથી સેન્ટર ખાતે જરૂરી સુવિધા ઊભી કરાઇ હતી. જયાં આ ટીમના સભ્યોને રાખવામાં આવ્યા હતાં. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...