Skip to main content

અમદાવાદથી પરત ફરેલા જામનગરના 19 તબીબોને કવોરેન્ટાઇન કરાયા



જામનગર તા.8 :
જામનગરથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ ફરજ બજાવવા ગયેલા 24 ડોકટરો પૈકીના 19 ડોકટરોની ટીમ મોડી રાત્રે પરત ફરી હતી. જયારે 4 પોઝીટીવ સહિત પાંચ ડોકટરોને અમવાદ રોકીને સારવાર અપાઇ રહી છે. જામનગર આવેલા તમામ તબીબોને કવોરેન્ટાઇનમાં મુકી દેવાયા છે.
જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ અને ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના મેડીસીન તથા એનેસ્થેસિયા વિભાગના 9-9 રેસીડેન્ટ ડોકટર અને 3-3 સિનિયર ડોકટરોને ડેપ્યુટેશન ઉપર 1 લી મે ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મોકલાયા હતાં.
રાજયના આરોગ્ય કમિશ્ર્નરની સુચનાથી આ ટીમને જામનગરથી અમદાવાદ મોકલવામાં આવી હોવાનું મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઇએ જણાવ્યું હતું. અમદાવાદમાં ફરજ દરમ્યિાન જામનગરના ડોકટરોને ઇન્ફેકશન લાગ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ પૈકી પાંચ ડોકટરોમાં કોરોના જેવો રિપોર્ટ આવતા ડિટેઇલ રિપોર્ટ કરાયેલ અને સેમ્પલ લેવાયા હતા જેમાં કુલ 4 ડોકટરને કોરોના પોઝીટીવ આવ્યા હતા અને 1 નો રિપોર્ટ પેન્ડીંગ હતો. આ પાંચેયને અમદાવાદમાં કોરોન્ટાઇન સેન્ટર તરીકે રખાયેલી ખાનગી હોટલમાં રાખવામાં આવ્યા છે.
આ પાંચ સિવાયના બાકીના 19 તબીબોની ટીમ મોડી રાત્રે જામનગર આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોને કવોરેન્ટાઇનમાં રાખવા માટે તેમના આગમન પુર્વે જ આરોગ્ય તંત્રે તૈયારી કરી લીધી હતી. ડીન બંગલો તેમજ લાખાબાવળ ખાતે આવેલ ખાનગી ટ્રસ્ટના લીલાવતી નેચરોપેથી સેન્ટર ખાતે જરૂરી સુવિધા ઊભી કરાઇ હતી. જયાં આ ટીમના સભ્યોને રાખવામાં આવ્યા હતાં. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...