Skip to main content

જામનગરમાં કોવિડ-19 સંક્રમણથી લોકોને બચાવવા આયુર્વેદ ઔષધીના ઉપયોગ અંગે બેઠક યોજાઇ



જામનગર તા.7: 
જામનગર સમગ્ર રાજ્યનું આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિનું હબ માનવામાં આવે છે ત્યારે જામનગરમાં  કોવિડ-19ના સંક્રમણથી લોકોને બચાવવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ ઔષધીઓનો ઉપયોગ અને આયુષ મંત્રાલયના સૂચનોના અમલીકરણ અંગે આજરોજ કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, કલેક્ટરશ્રી રવિશંકર, આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી અનુપ ઠાકર સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રોગપ્રતિકારકશક્તિ વધારતા ઔષધિઓનું જામનગરવાસીઓમાં સેવન વધે તે હેતુથી આગામી દિવસોમાં તંત્ર દ્વારા લોકોને શમશમનવટીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મંત્રીશ્રીઓ દ્વારા આયુષ મંત્રાલયના સુચનો અને આયુર્વેદ પદ્ધતિના ઉપયોગથી લોકોમાં વધુ ને વધુ કોરોના સંક્રમણથી બચવાની શક્તિનું નિર્માણ થાય તે માટે આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી સાથે ચર્ચા કરી ઉકાળા વિતરણ, શમશમનવટીનું વિતરણ વગેરે પગલાંઓ લેવા વિશે આયોજન કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.