Skip to main content

વડોદરામાં વધુ 19 કેસ પોઝિટિવ: કુલ કેસનો આંકડો 324 પાર પહોંચ્યો


વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસથી વધુ 2 લોકોના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસથી મૃત્યુઆક 23 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 324 ઉપર પહોંચી ગઇ છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ડબી ફળીયામાં રહેતા 54 વર્ષના કલ્પનાબેન મસ્કેનું મોડી રાત્રે 12:10 વાગ્યે ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે વાડી વિસ્તારના રબારીવાસમાં રહેતા 67 વર્ષના મો. હનિફ રંગરેજનું આજે સવારે 9 વાગ્યે સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.
અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.63), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ

નવા નોંધાયેલા દર્દીઓના નામની યાદી 
અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.63), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ
ઇમ્તિયાઝ મોહમ્મદ અત્તરવાલા (ઉ.63), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
ફાતેમા સફદરઅલી ચશ્માવાલા (ઉ.63), ગેંડીગેટ રોડ, ફકરી મોહોલ્લા નં-2, મોગલવાડા, ખાંગા મોહોલ્લા
ફાતેમા ઇમ્તિયાઝ અત્તરવાલા (ઉ.63), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
મોહમ્મધની દાદાભાઇ રંગરેજ (ઉ.63), રબારીવાસ, વાડી
યાસિનખાન રસુલખાન પઠાણ (ઉ.63), રબારીવાડ, વાડી
ઐયુબઅલી મેહનુરઅલી સૈયદ (ઉ.63), સૈયદપુરા, નાગરવાડા
નિઝામુદ્દીન ગુલામભાઇ ગોટલાવાલા (ઉ.63), લોખંડવાલા પાસે, નાગરવાડા
રમિઝખાન રસુલખાન પઠાણ (ઉ.63), રબારીવાડ, વાડી
ફેમિદા યુનુસભાઇ હોટેલવાલા (ઉ.63), રબારીવાડ, વાડી
આનંદ પાંડે (ઉ.63), ઇએમઇ કેમ્પસ ફતેગંજ
મોહમદ નુરદેન ઇસ્માઇલ થેરીવાલા (ઉ.63), મોગલવાડા, પાણીગેટ
મિનેષ અરવિંદભાઇ રાણા (ઉ.63), ભદ્ર કચેરી રોડ, પાણીગેટ
અફિરાબાનુ મલેક (ઉ.63), વાડી મોટી હોરવાલા
રફીકભાઇ રહેમાનભાઇ ગાબાલવાલા (ઉ.63), રાવપુરા મચ્છીપીઠ
નુરજહા યુસુફભાઇ શાહી (ઉ.63), નાગરવાડા
સના આસિફ સહેલિયા (ઉ.63), નવીધરતી, નાકા ફળીયા, નાગરવાડા
ઉસ્માનઘનિમ ઇસ્માઇલભાઇ દૂધવાલા (ઉ.63), પાણીગેટ છીપવાડ

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.