આજે નોંધાયેલા કેસમાંથી મોટાભાગના કેસમાં જિલ્લા બહારથી આવેલા લોકોનો સમાવેશ: જામનગર જિલ્લામાં તા.17 મે સુધી બહારથી આવનારા માટે પ્રવેશબંધી: નવી પરમીશનો અટકાવવા કાર્યવાહી: આજે સાંજે જાહેર થયેલાં વધુ સાત કેસમાં જામનગર શહેરના ચાર તથા ખારવા, ચેલા અને હડિયાણા ગામે એક-એક કેસ: ખારવા ગામના 11 માસના બાળકનું રિપોર્ટ પોઝીટીવ આવે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું
જામનગર તા.8
જામનગર શહેરમાં આજે કોરોના પોઝીટીવના વધુ ત્રણ કેસ અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નવા ચાર પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ સમગ્ર શહેર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. જામનગરના જિલ્લા કલેક્ટરે આ નવા કેસ ધરાવતા સાતેય વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી માત્ર દૂધ અને દવાના વેચાણ સિવાયની તમામ પ્રવૃત્તિને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે તા.17 સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવા ઉપરાંત બીજા જિલ્લામાંથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ડિજીટલ પરમીટ ઇશ્યુ કરવાની બંધ કરવા પણ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને જામનગર કલેક્ટરે પત્ર પાઠવ્યો છે.
જામનગર શહેરમાં આજે નવા ત્રણ પોઝીટીવ કેસ તથા જામજોધપુર વિસ્તારમાં ચાર પોઝીટીવ કેસ મળી જિલ્લામાં સાત કેસ આવતા જામનગર જિલ્લામાં પોઝીટીવ કેસનો આંકડો વધીને 15 થયો છે. એક જ દિવસમાં સાત પોઝીટીવ કેસ આવવાને પગલે શહેર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના મંત્રી આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર રવિશંકરે શુક્રવારે સાંજે જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પૂર્વે જામનગર જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે રાજ્ય સરકારનું પણ અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા પોઝીટીવ કેસવાળા સાત સ્થળોએ એક કિલોમટીરની ત્રિજ્યાના વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દવા અને મેડીકલ સિવાયની તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા અને જામનગર જિલ્લામાં મધરાતથી શરૂ કરી તા.17 મે સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા નક્કી થયું હતું.
આ બેઠક પછી જિલ્લા કલેક્ટર રવિશંકરે ઉપરોક્ત સાતેય કેસના વિસ્તારના એક કિલોમીટરમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. દૂધ અને મેડીકલ સિવાયની તમામ પ્રવૃત્તિને બંધ કરવાનો આદેશ કરાયો છે. અન્ય પ્રવૃત્તિના પાસ પણ ચાલશે નહીં.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં તા.9 થી તા.17 મે સુધી અન્ય જિલ્લામાંથી લોકોને આવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ સંદર્ભે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા રાજ્યના કલેક્ટરોને ડિજીટલ પરમીશન જામનગર જિલ્લાની ઇસ્યુ ન કરવા અથવા ઇમરજન્સી કેસમાં પરમીશન આપતા પહેલાં જામનગર કલેક્ટર તંત્રને જાણ કરવા અપીલ કરતો પત્ર લખ્યો છે.
આજે રાત્રે 8:30 કલાકે વધુ સાત પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા સાત કેસમાં હડિયાણા ગામના 35 વર્ષના પુરૂષ, જામનગર શહેરના ગુલાબનગર રોડ ઉપર આવેલા સત્યસાંઇ નગર વિસ્તારમાં રહેતાં 38 વર્ષના પુરૂષ, રણજીતરોડ વિસ્તારમાં રહેતાં 70 વર્ષના પુરૂષ, દિગ્જામ સર્કલ વિસ્તારમાં રહેતી 27 વર્ષની મહિલા, જામનગરના ચાર વર્ષના એક બાળક તેમજ ચેલા ગામ પાસે આવેલ એસઆરપી કેમ્પમાં રહેતાં 55 વર્ષના પુરૂષનો સમાવેશ થતો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના જણાવ્યા અનુસાર આ નવા સાત પૈકી ઉપરોક્ત છ લોકો જિલ્લા બહારથી આવ્યા હતાં. જ્યારે ધ્રોલ તાલુકાના ખારવા ગામના 11 માસના બાળકનું મૃત્યુ થયું છે. તે બાળકને જન્મથી જ આરોગ્યને લગતી તકલીફ હતી. આમ આજે જામનગર જિલ્લામાં જાહેર થયેલાં 14 પોઝીટી કેસ પૈકી 12 લોકોન ટ્રાવેલ હિસ્ટ્રી છે. આજે સાંજે જાહેર થયેલ તમામ નવા પોઝીટીવ કેસની વ્યક્તિઓ સમરસ હોસ્ટેલ તથા અન્ય સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હતી.
જામનગર તા.8
જામનગર શહેરમાં આજે કોરોના પોઝીટીવના વધુ ત્રણ કેસ અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નવા ચાર પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ સમગ્ર શહેર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. જામનગરના જિલ્લા કલેક્ટરે આ નવા કેસ ધરાવતા સાતેય વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી માત્ર દૂધ અને દવાના વેચાણ સિવાયની તમામ પ્રવૃત્તિને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે તા.17 સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવા ઉપરાંત બીજા જિલ્લામાંથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ડિજીટલ પરમીટ ઇશ્યુ કરવાની બંધ કરવા પણ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને જામનગર કલેક્ટરે પત્ર પાઠવ્યો છે.
જામનગર શહેરમાં આજે નવા ત્રણ પોઝીટીવ કેસ તથા જામજોધપુર વિસ્તારમાં ચાર પોઝીટીવ કેસ મળી જિલ્લામાં સાત કેસ આવતા જામનગર જિલ્લામાં પોઝીટીવ કેસનો આંકડો વધીને 15 થયો છે. એક જ દિવસમાં સાત પોઝીટીવ કેસ આવવાને પગલે શહેર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના મંત્રી આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર રવિશંકરે શુક્રવારે સાંજે જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પૂર્વે જામનગર જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે રાજ્ય સરકારનું પણ અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા પોઝીટીવ કેસવાળા સાત સ્થળોએ એક કિલોમટીરની ત્રિજ્યાના વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દવા અને મેડીકલ સિવાયની તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા અને જામનગર જિલ્લામાં મધરાતથી શરૂ કરી તા.17 મે સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા નક્કી થયું હતું.
આ બેઠક પછી જિલ્લા કલેક્ટર રવિશંકરે ઉપરોક્ત સાતેય કેસના વિસ્તારના એક કિલોમીટરમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. દૂધ અને મેડીકલ સિવાયની તમામ પ્રવૃત્તિને બંધ કરવાનો આદેશ કરાયો છે. અન્ય પ્રવૃત્તિના પાસ પણ ચાલશે નહીં.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં તા.9 થી તા.17 મે સુધી અન્ય જિલ્લામાંથી લોકોને આવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ સંદર્ભે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા રાજ્યના કલેક્ટરોને ડિજીટલ પરમીશન જામનગર જિલ્લાની ઇસ્યુ ન કરવા અથવા ઇમરજન્સી કેસમાં પરમીશન આપતા પહેલાં જામનગર કલેક્ટર તંત્રને જાણ કરવા અપીલ કરતો પત્ર લખ્યો છે.
આજે રાત્રે 8:30 કલાકે વધુ સાત પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા સાત કેસમાં હડિયાણા ગામના 35 વર્ષના પુરૂષ, જામનગર શહેરના ગુલાબનગર રોડ ઉપર આવેલા સત્યસાંઇ નગર વિસ્તારમાં રહેતાં 38 વર્ષના પુરૂષ, રણજીતરોડ વિસ્તારમાં રહેતાં 70 વર્ષના પુરૂષ, દિગ્જામ સર્કલ વિસ્તારમાં રહેતી 27 વર્ષની મહિલા, જામનગરના ચાર વર્ષના એક બાળક તેમજ ચેલા ગામ પાસે આવેલ એસઆરપી કેમ્પમાં રહેતાં 55 વર્ષના પુરૂષનો સમાવેશ થતો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના જણાવ્યા અનુસાર આ નવા સાત પૈકી ઉપરોક્ત છ લોકો જિલ્લા બહારથી આવ્યા હતાં. જ્યારે ધ્રોલ તાલુકાના ખારવા ગામના 11 માસના બાળકનું મૃત્યુ થયું છે. તે બાળકને જન્મથી જ આરોગ્યને લગતી તકલીફ હતી. આમ આજે જામનગર જિલ્લામાં જાહેર થયેલાં 14 પોઝીટી કેસ પૈકી 12 લોકોન ટ્રાવેલ હિસ્ટ્રી છે. આજે સાંજે જાહેર થયેલ તમામ નવા પોઝીટીવ કેસની વ્યક્તિઓ સમરસ હોસ્ટેલ તથા અન્ય સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હતી.
Comments
Post a Comment