Skip to main content

જામનગર માટે સતત ચોથા દિવસે આવ્યા સારા સમાચાર: જી.જી.હોસ્પિટલમાં વધુ 12 દર્દીઓને આજે બપોરે રજા આપવામાં આવી

હવે હોસ્પિટલમાં માત્ર 10 દર્દીઓ દાખલ: કાલે વધુ દર્દીને રજા અપાશે: જામનગરના શહેરના પાંચ, જામજોધપુર તાલુકાના ચાર તેમજ હડિયાણા ગામનો એક અને ચેલા એસઆરપી કેમ્પના બે દર્દીને મળી રજા




જામનગર તા. 18 : જામનગરની ગુરૂગોવિંદસિંહ કોવિડ હોસ્પિટલમાંથી આજે બપોરે વધુ 12 દર્દીઓને 10 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવવાથી ડિસ્ચાર્જ આપી કોરેન્ટાઇન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. હવે 10 દર્દીઓ સારવાર હેઠળ છે. 
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખાસ કોરોના વાયરસ માટે કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. આ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કુલ 22 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જેમાંથી આજે 12 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમ તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીએ જણાવ્યું હતું. કોરોના વાયરસને લઇને પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આવા સારવાર પામેલા 12 દર્દીઓએ કોરોનાની મ્હાત આપી છે. આજે તેઓને ડીસ્ચાર્જ કર્યા બાદ તેઓને 10 દિવસ સુધી હોમ કરોન્ટાઇન રહેવું પડશે.

  • રજા આપવામાં આવેલ દર્દીઓની  યાદી 
હંસાબેન શૈલેષભાઇ રતેશ્ર્વર
કલ્પનાબેન દિલીપભાઇ ભટ્ટ
ઉર્વિ કરણભાઇ વાછાણી
હસુેન સલેમાન ઓડિયા
મહેનુર મહેબુબ સતાર
ઉષાબેન કદાવલા
સોનલબેન ભાવેશભાઇ ભંભાણી
જૈમિન શાંતિલાલ કાનાણી
મનિષા શાંતિલાલ કાનાણી
જનક માવજીભાઇ કાનાણી
અમૃતસિંહ એન. જાડેજા 
રસિકભાઇ એન. ચુડાસમા

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.