Skip to main content

જિયો પ્લેટફોર્મમાં કેકેઆરનું રૂ. 11,367 કરોડનું રોકાણ

આ રોકાણ જિયોના ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના વિઝનને વેગ આપશેજિયો પ્લેટફોર્મ્સે ગયા મહિનામાં દુનિયાનાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૂ. 78,562 કરોડનું રોકાણ મેળવ્યું


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)માં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે જાણીતી વિશ્વની અગ્રણી કંપની કેકેઆર રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે. આ કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે અને જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકો હિસ્સો મેળવશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 કરોડ થયું છે અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.16 લાખ કરોડ થયું છે. ગયા મહિના દરમિયાન અગ્રણી ટેકનોલોજી રોકાણકારો ફેસબુકસિલ્વર લેકવિસ્ટાજનરલ એટલાન્ટિક અને કેકેઆરએ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ રૂ. 78,562 કરોડનું રોકાણ કર્યું છે.

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છેજે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીસ્માર્ટ ઉપકરણોક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગબિગ ડેટા એનાલીટિક્સઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છેજેમાં નાનાં વેપારીઓનાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છેજેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.

 

કેકેઆરની સ્થાપના 1976માં થઈ હતી અને કંપની આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગસાહસો ઊભા કરવાનો અને ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યવસાયોમાં સફળતાપૂર્વક રોકાણ કરવાનો લાંબો રેકોર્ડ ધરાવે છે. કંપનીએ બીએમસી સોફ્ટવેરબાઇટડાન્સ અને ગોજેકમાં પ્રાઇવેટ ઇક્વિટી અને ટેકનોલોજી ગ્રોથ ફંડ દ્વારા રોકાણ કર્યું છે. કંપનીએ શરૂઆતથી અત્યાર સુધી ટેક કંપનીઓમાં 30 અબજ ડોલર (કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યુ)નું રોકાણ કર્યું છે અને અત્યારે કંપનીનાં ટેકનોલોજી પોર્ટફોલિયોમાં ટેકનોલોજીમીડિયા અને ટેલીકોમ ક્ષેત્રની 20થી વધારે કંપનીઓ છે. ઉપરાંત કેકેઆર માટે ભારત મુખ્ય સ્ટ્રેટેજિક માર્કેટ છે અને વર્ષ 2006થી કંપની દેશમાં રોકાણ કરી રહી છે.

 

આ સમજૂતી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કેઅમે તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસાવવા અને પરિવર્તન કરવાની સફર શરૂ કરી છેજેમાં દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત નાણાકીય રોકાણકારો પૈકીની એક કંપની કેકેઆરને વેલ્યુ પાર્ટનર તરીકે આવકારવાનો મને આનંદ છે. ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના અમારા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક જેવું વિઝન કેકેઆર ધરાવે છે. કેકેઆર ઉદ્યોગમાં અગ્રણી ફ્રેન્ચાઇઝી તરીકેનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને ભારતમાં ઘણા વર્ષોથી કટિબદ્ધ છે. અમે જિયોના વિકાસ માટે કેકેઆરના ગ્લોબલ પ્લેટફોર્મઉદ્યોગની જાણકારી અને કાર્યકારી કુશળતાનો ઉપયોગ કરવા આતુર છીએ.

 

કેકેઆરના સહ-સ્થાપક અને કો-સીઇઓ હેનરી ક્રેવિસે કહ્યું હતું કેદેશની ડિજિટલ ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવાની સંભવિતતા થોડી કંપનીઓ ધરાવે છે અને જિયો એ પૈકીની એક કંપની છે. જિયો ભારતમાં ખરાં અર્થમાં સ્વદેશી અદ્યતન ટેકનોલોજી લીડર કંપની છેજે દેશમાં ટેકનોલોજી સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. જિયોએ ભારતમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ લીધું છે. અમે જિયો પ્લેટફોર્મ્સની પ્રભાવશાળી કામગીરીઆંતરરાષ્ટ્રીય સ્તરનાં ઇનોવેશન અને મજબૂત લીડરશિપ ટીમમાં રોકાણ કર્યું છે. અમે આ રોકાણના સીમાચિહ્ન અને મહત્ત્વપૂર્ણ રોકાણ ગણીએ છીએજે કેકેઆરની ભારત અને એશિયા પેસિફિકમાં અગ્રણી ટેકનોલોજી કંપનીઓને પીઠબળ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાનો સંકેત છે.

 

કેકેઆરએ એના એશિયા પ્રાઇવેટ ઇક્વિટી અને ગ્રોથ ટેકનોલોજી ફંડ્સમાંથી રોકાણ કર્યું છે.

 

આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે.

 

આ નાણાકીય વ્યવહારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી તથા કાયદાકીય સલાહકાર એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ હતી. કેકેઆરની નાણાકીય સલાહકાર ડેલોઇટ્ટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપી હતી. કેકેઆરની કાયદેસર સલાહકાર શાર્દૂલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની અને સિમ્પ્સન થેચર એન્ડ બાર્ટલેટ્ટ એલએલપી હતી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.