બિહારના 1200 મજુરોને લઇ ટ્રેન બલીયા જવા રવાના: 3 દિવસથી ટ્રેનમાં મજુરોને મોકલાઇ રહ્યા છે વતનમાં
જામનગર તા.8 :
પરપ્રાંતિય મજુરોને બસ ઉપરાંત ટ્રેન મારફત પણ મોકલવાનું જામનગર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે 1200 જેટલા પરપ્રાંતિય મજુરોને લઇને ટ્રેન રવાના કરવામાં આવી હતી.
જામનગર શહેર સહિત જિલ્લામાં 1 લાખથી વધુ પરપ્રાંતિય મજુરો કામ કરી રહ્યા છે. બ્રાસપાર્ટસ સહિતના ઉદ્યોગો ઉપરાંત ખેતી-વાડી ક્ષેત્રે મહદઅંશે તેઓ જોડાયેલા છે. જયારે સોની બજાર, બાંધકામ સહિતના ક્ષેત્રે પણ પરપ્રાંતિય મજુરો નાના પ્રમાણમાં જોવા મળે છે.
41 દિવસથી ચાલતા લોકડાઉનમાં પુરતી જરૂરી વ્યવસ્થા ન હોવાના કારણે અને પૈસા ખુટી પડતા નાછુટકે આ મજુરો વતન જઇ રહ્યા છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મધ્યપ્રદેશના વતની 21 હજાર જેટલા મજુરોને સરકારી અને ખાનગી બસોમાં મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતના દાહોદ, ગોધરા વિગેરે વિસ્તારના મજુરોને પણ ક્રમશ: વતન મોકલાઇ રહ્યા છે. અલબત્ત જે મજુરો વતન જવાની માંગણી કરે છે તેઓને જ મોકલવાની વ્યવસ્થા થઇ રહી છે. સરકારની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવતી હોવાનું તંત્રે જાહેર કર્યુ છે.
બુધવારે રાત્રે, ગુરૂવારે બપોરે એક-એક ટ્રેન બિહાર અને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી. જેમાં કુલ 2400 મજુરોને મોકલવામાં આવ્યા હતાં. આ પછી આજે બપોરે ત્રીજી એક ટ્રેન જામનગરથી બિહારના બલીયા રેલવે સ્ટેશન સુધી જવા રવાના કરવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા મુજબ આજે સવારે 9 વાગ્યે જ 1200 જેટલા મજુરોને જામનગર રેલવે સ્ટેશને લઇ જવાની કામગીરી શરૂ થઇ હતી. રેલવે સ્ટેશન ખાતે ફુડ પેકેટ, પાણીની બોટલ, પેપર નેપકીન દરેક મજુરને આપવામાં આવ્યા હતાં. સવારે 11 વાગ્યે તમામ મજુરો ટ્રેનમાં બેસી ગયા હતાં. રેલવે સ્ટેશન ખાતે સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી અંગે પુરતી તકેદારી જળવાય તે માટે સીટી પોલીસ તથા રેલવે પોલીસ, આર.પી.એફ. નો સ્ટાફ પણ તૈનાથ હતો. દરેક મજુરને તેના નિયત કોચમાં જવા રેલવેના ટી.સી. દ્વારા માર્ગદર્શન અપાયું હતું. 1200 મજુરો સાથેની આ ટ્રેન આજે બપોરે જામનગર સ્ટેશનથી રવાના થઇ હતી. જિલ્લા કલેકટર રવિશંકરે સારી વ્યવસ્થા બદલ પોલીસ અને આરોગ્ય તંત્રનો આભાર માન્યો હતો.
જામનગર તા.8 :
પરપ્રાંતિય મજુરોને બસ ઉપરાંત ટ્રેન મારફત પણ મોકલવાનું જામનગર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે 1200 જેટલા પરપ્રાંતિય મજુરોને લઇને ટ્રેન રવાના કરવામાં આવી હતી.
જામનગર શહેર સહિત જિલ્લામાં 1 લાખથી વધુ પરપ્રાંતિય મજુરો કામ કરી રહ્યા છે. બ્રાસપાર્ટસ સહિતના ઉદ્યોગો ઉપરાંત ખેતી-વાડી ક્ષેત્રે મહદઅંશે તેઓ જોડાયેલા છે. જયારે સોની બજાર, બાંધકામ સહિતના ક્ષેત્રે પણ પરપ્રાંતિય મજુરો નાના પ્રમાણમાં જોવા મળે છે.
41 દિવસથી ચાલતા લોકડાઉનમાં પુરતી જરૂરી વ્યવસ્થા ન હોવાના કારણે અને પૈસા ખુટી પડતા નાછુટકે આ મજુરો વતન જઇ રહ્યા છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મધ્યપ્રદેશના વતની 21 હજાર જેટલા મજુરોને સરકારી અને ખાનગી બસોમાં મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતના દાહોદ, ગોધરા વિગેરે વિસ્તારના મજુરોને પણ ક્રમશ: વતન મોકલાઇ રહ્યા છે. અલબત્ત જે મજુરો વતન જવાની માંગણી કરે છે તેઓને જ મોકલવાની વ્યવસ્થા થઇ રહી છે. સરકારની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવતી હોવાનું તંત્રે જાહેર કર્યુ છે.
બુધવારે રાત્રે, ગુરૂવારે બપોરે એક-એક ટ્રેન બિહાર અને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી. જેમાં કુલ 2400 મજુરોને મોકલવામાં આવ્યા હતાં. આ પછી આજે બપોરે ત્રીજી એક ટ્રેન જામનગરથી બિહારના બલીયા રેલવે સ્ટેશન સુધી જવા રવાના કરવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા મુજબ આજે સવારે 9 વાગ્યે જ 1200 જેટલા મજુરોને જામનગર રેલવે સ્ટેશને લઇ જવાની કામગીરી શરૂ થઇ હતી. રેલવે સ્ટેશન ખાતે ફુડ પેકેટ, પાણીની બોટલ, પેપર નેપકીન દરેક મજુરને આપવામાં આવ્યા હતાં. સવારે 11 વાગ્યે તમામ મજુરો ટ્રેનમાં બેસી ગયા હતાં. રેલવે સ્ટેશન ખાતે સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી અંગે પુરતી તકેદારી જળવાય તે માટે સીટી પોલીસ તથા રેલવે પોલીસ, આર.પી.એફ. નો સ્ટાફ પણ તૈનાથ હતો. દરેક મજુરને તેના નિયત કોચમાં જવા રેલવેના ટી.સી. દ્વારા માર્ગદર્શન અપાયું હતું. 1200 મજુરો સાથેની આ ટ્રેન આજે બપોરે જામનગર સ્ટેશનથી રવાના થઇ હતી. જિલ્લા કલેકટર રવિશંકરે સારી વ્યવસ્થા બદલ પોલીસ અને આરોગ્ય તંત્રનો આભાર માન્યો હતો.
Comments
Post a Comment