Skip to main content

મોબાઇલ ફોનમાં ગ્રુપ બનાવી ગીત ગાતા પતિના વર્તનથી પત્નીએ આપઘાત કર્યો


જામનગર તા.29 :
જામનગરમાં મોબાઇલ ફોનમાં ગ્રુપ બનાવી ગીતો ગાતા પતિના વર્તનથી કંટાળી નેપાળી પત્નીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જયારે સ્વામીનારાયણ નગરમાં બેશુદ્ધ હાલતમાં જ વૃદ્ધનું મૃત્યું નિપજયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં આપઘાત-અપમૃત્યુના વધુ બે બનાવો નોંધાયા હતાં જેમાં રણજીતસાગર રોડ પર આવેલ જડેશ્ર્વર મહાદેવના મંદિરની બાજુમાં રાહુલ હામોર્નિયમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા ભરતભાઇ તબીતબીહસિંગ ખડકા નામના નેપાળી ચોકીદારની પત્ની ગીતાબેન (ઉ.વ.21) એ ગઇકાલે ત્રણેક વાગ્યે પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પતિ ભરતભાઇએ જાણ કરતા સીટી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી, મૃતદેહને જી.જી.હોસ્પિટલ ખસેડયો હતો. આ બનાવ અંગે ભરતભાઇએ પોલીસમાં કરેલી જાહેરાત મુજબ મોબાઇલ ફોનમાં પોતાના ગામનું ગ્રુપ બનાવી પોતે પણ તેમાં ગીતો ગાતા હતાં પતિના આ વર્તનથી કંટાળી તેણીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જયારે જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા કિરીટભાઇ શાંતિલાલ જોષી (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત તા. 28 મી ના રોજ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દરમ્યાન ઘરે આવી સુઇ ગયા બાદ તેઓ ન જાગતા પરિવારે બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડયા હતાં. જયાં સારવાર મળે તે પુર્વે જ તેઓનું મૃત્યું નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...