Skip to main content

જોડિયા નજીક બાઇક-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે ના મોત


જામનગર તા.29:
જોડિયા તાલુકાના લખતર ગામ નજીક ગઇકાલે સાંજે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે આદિવાસી યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે. રોંગ સાઇડમાં આવતું મોટરસાયકલ ડમ્પરના આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
જોડિયા સહિત જિલ્લાભરમાં શોક જન્માવનાર અકસ્માતના આ બનાવની વિગત મુજબ ગઇકાલે સાંજે છ વાગ્યાના સુમારે જોડીયાથી 14 કિ.મી. દુર આવેલા લખતર ગામ નજીક એમ.પી.69એમસી-0231 નંબરનું મોટરસાયકલ સામેથી આવી રહેલાં ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. પલવારમાં સર્જાય ગયેલી આ દુર્ઘટનામાં બાઇક સવાર જોડિયા તાલુકાના મજોઠ ગામે ખેત મજુરી કરતાં બાઇક ચાલક દિલીપભાઇ ગનીયાભાઇ માવડા અને સુરબાન ઉર્ફે ભાયો રાયસીંગ પચાયા નામના બન્ને યુવાનોને માથા અને શરીરના ભાગે ઘાતક ઇજાઓ પહોંચતા બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજ્યા હતાં. આ બનાવના પગલે ગભરાઇ ગયેલા ડમ્પર ચાલક મુકેશ દેવાભાઇ વરુ સ્થળ છોડી ધ્રોલ પહોંચ્યા હતાં. ત્યારબાદ જોડિયા પોલીસ દફતર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. રોંગ સાઇડમાં આવી ગયેલ મોટરસાયકલ ધડાકાભેર અથડાઇ જતાં ચાલકે ડમ્પર થંભાવી દિધુ હતું પરંતુ તે પુર્વે બન્ને બાઇક સવાર રસ્તા પર ફુટબોલની જેમ ફંગોળાઇ જતાં બન્નેએ ત્યાં જ દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે જોડિયા પોલીસે રોંગ સાઇડમાં બાઇક ચલાવી ડમ્પર સાથે અથડાવી અકસ્માત નિપજાવવા બદલ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...