Skip to main content

લોકડાઉન બાદ વિમાની મુસાફરીમાં થશે ફેરફાર : એરહોસ્ટેસ નર્સ જેવા પોષાક પહેરશે


નવી દિલ્હી
કોરોના વાઈરસના કારણે આગામી સમયમાં જીવનશૈલીમાં અનેક ફેરફારો આવશે અને વિમાની સેવાનું સ્વરુપ પણ બદલાઈ જશે તેવા સંકેત છે. દેશમાં લોકડાઉનના અંત બાદ વિમાની સેવા ચાલુ થાય ત્યારે તેમાં સૌપ્રથમ સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ કેમ રાખવો તે અંગે સરકાર અને એરલાઈન વચ્ચે વાતચીત ચાલુ છે. ત્યાં હવે દરેક વિમાની મુસાફરે તેની એર ટીકીટ ખરીદતા સમયે તે કોઇપણ પ્રકારના વાઈરસથી સંક્રમિત નથી તેવું મેડીકલ સર્ટિફીકેટ પણ આપવાનું જરુરી બનાવાઇ રહ્યું છે.

એટલું જ નહીં વિમાની સેવામાં પણ માસ્ક તથા ગ્લોવ્ઝ ફરજીયાત બની જશે. સરકાર કમસેકમ જ્યાં સુધી કોરોનાનો છેલ્લો વાઈરસ વિદાય ન લે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રાખવા માગે છે. એરલાઈનના અધિકારીઓ, તબીબી નિષ્ણાંતો અને સરકાર વચ્ચે હાલ એક વાટાઘાટ ચાલી રહી છે. અને તેમાં કોરોનાની સ્થિતિમાં વિમાની મુસાફરી કઇ રીતે સલામત બનાવવી તે અંગેના ઉપાયો સાથે ઇન્ડીગો સહિતની એરલાઈને તો મુસાફરોના થર્મલ સ્કેનીંગ, મુસાફરને બોડીંગ પાસ સાથે માસ્ક અને ગ્લોવ્ઝ આપવાની તૈયારી કરી છે.

ઉપરાંત ચેકીંગ કાઉન્ટર ઉપર તથા એરપોર્ટની બસ સેવામાં સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રખાશે. ઉપરાંત હાલના તબક્કે વિમાની ઉડ્ડયન સેવા દરમિયાન આંતરિક સેવામાં કોઇપણ પ્રકારના ભોજન કે તેવી સુવિધા અપાશે નહીં. કેબીન ક્રૂએ પણ માસ્ક, ગ્લોવ્ઝ અને પ્રોટેક્ટીવ ગાઉન પહેર્યા હશે. આ તમામ પ્રાથમિકતાની સાથે મુસાફરની સંક્રમણની શક્યતાને નાબૂદ કરવા પણ પગલાં લેવાશે.

મુસાફરને તેની મેડીકલ હિસ્ટ્રી જો હોય તો તે આપવી જરુરી બનશે. ખાસ કરીને કોરોનામાંથી ઉગરેલા કે ક્વોરેન્ટાઈનમાં રહેલા માટે આ સ્થિતિ બનાવાશે. અન્ય મુસાફરોએ પોતાના તબીબનું સર્ટિફીકેટ આપવાનું રહેશે. બજેટ એરલાઈન માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક સીટ ખાલી રાખવી એ મોંઘુ પડે તેમ છે તેમ છતાં જ્યાં સુધી પ્રાથમિક તબક્કે કોરોના છે અને વિમાની સેવા ચાલુ કરાય તો તેમાં સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રખાશે.

કોરિયન એરલાઈને તો તેના ફલાઈટ ક્રૂ માટે પૂર્ણ પ્રોટેક્ટીવ ગાઉન, ગ્લોવ્ઝ વગેરેનો પ્રારંભ કરી દીધો છે. વિમાની મુસાફરીમાં મીડલ સીટ ખાલી રાખવાથી સોશિયલ ડિસ્ટન્સનો અર્થ પણ સરસે નહીં કારણ કે 3 સીટ વચ્ચેની જગ્યા 6 ફૂટથી ઓછી હોય છે અને મિડલ સીટ ખાલી રાખે તો પણ સંક્રમણની શક્યતા રહેશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.