Skip to main content

પાનમસાલા, સિગારેટની દુકાનો, હેરસલુન, રેસ્ટોરા બંધ: કેન્દ્રની સ્પષ્ટતા

કોરોના વાયરસ સામેની લડતના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો અમલ 3 મે સુધી અમલમાં રહેનાર હતો દરમ્યાન કેન્દ્ર સરકારે ગઈરાત્રે જારી કરેલા આદેશમાં ગ્રામીણ વિસ્તારો અને મ્યુનિસિપલ વિસ્તારોમાં શોપીંગ કોન્વલેકસ અને મોલ સિવાયની આવશ્યક અને બિન આવશ્યક દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપવા મંજુરી આપી હતી.

આ મામલે કેટલીક દ્વિધાઓ ઉભી થતાં ગૃહ મંત્રાલયના સંયુકત સચીવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે આજે સ્પષ્ટતા કરી હતી કે શરાબની દુકાનો ઉપરાંત, હેરકટીંગ સલુન, બ્યુટીપાર્લર, અને રેસ્ટોરા ખુલ્લા રાખી શકાશે નહિં.

શહેરી વિસ્તારોમાં આવાસીય પરિસર, કોલોનીઓ આસપાસ અને સ્ટેન્ડ એલોન (અલગ અલગ માંગ એક જ દુકાન) ખોલવા મંજુરી અપાઈ હતી. એવી જ રીતે શરાબ, સીગારેટ અને તમાકુ-ઉત્પાદનો અને સિગરેટનું વેચાણ અગાઉની જેમ પ્રતિબંધીત રહેશે. વળી, હોટસ્પોટ અથવા ક્ધટેન્સમેન્ટ ઝોનમાં દુકાનો ખોલી શકાશે નહિં.

ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે આદેશ જારી કર્યો એ કારણે કેટલાંક રાજયોમાં ભ્રમ ઉભો થયો હતો આજે સવારે 11 વાગ્યે ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી માત્ર કરીયાણા, શાકભાજી અને દવાઓની દુકાનો ચાલુ રાખવા છુટ હતી હવે બિન આવશ્યક ચીજોના વેચાણ માટે પણ દુકાનો ખુલ્લી રાખી શકાશે.

જોકે સરકારે શહેરોમાં જાહેર સરકારી પરિવહનનાં મામલે બસ અથવા રીક્ષા અને ટ્રેન તથા વિમાની સેવાઓ બાબતે હજુ કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...