Skip to main content

અમદાવાદમાં કોરોનાનો ઝેરી ફૂંફાડો : 33 એસઆરપી જવાનો કોરોના પોઝિટીવ


અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનું આક્રમણ યથાવત જ રહ્યુ છે. સરકાર દ્વારા સંક્રમિત આંકડા સાંજે જાહેર કરવામાં આવતાં હોવા છતાં આજે બપોર સુધીમાં કેટલીક ચોંકાવનારી આંકડાકીય વિગતો બહાર આવી છે. અમદાવાદમાં એક મહિલા કોર્પોરેટર ઉપરાંત બે શાકભાજીના ધંધાર્થીનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગોપાલનગરમાંથી 14 કેસ ખુલ્યા છે જે સંક્રમણ ડેરીફાર્મમાંથી થયાની શંકા છે. વડોદરામાં નવા 15 કેસ બહાર આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં ત્રણ સહીત અન્ય શહેરોમાંથી પણ કોરોના પોઝીટીવ કેસ હોવાની વિગતો સાંપડી છે.

અમદાવાદમાં આજે બપોર સુધીમાં ગોપાલનગરમાંથી 14 પોઝીટીવ કેસ નોંધાયા છે.આ વિસ્તારની ક્રિષ્ના ડેરીમાં કામ કરતા કર્મચારીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ડેરીમાંથી કોરોનાનો ચેપનો ફેલાવો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સિવાય રેકડીમાં શાકભાજી વેંચતા બે ધંધાર્થીઓને પણ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ વધી ગઈ છે. શાકભાજીનાં ધંધાર્થી કયા કયા વિસ્તારમાં ફર્યા હતા અને કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત સૌથી મોટી ચિંતારૂપ ઘટનાક્રમમાં સૌથી વધુ પ્રભાવીત કોટ વિસ્તારમાં ફરજ પર રહેલા એસઆરપીના વધુ 33 જવાનોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગોધરા એસઆરપીની કંપનીને અમદાવાદમાં બંદોબસ્ત માટે મુકવામાં આવી હતી ગત 22મીએ 17 જવાનોને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. આજે વધુ 33 જવાનોને કોરોના હોવાનું બહાર આવ્યુ છે. કોટ વિસ્તારમાં ફરજ પર રહેલા અન્ય 59 જવાનોને કવોરન્ટાઈન કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. એસઆરપીના 50 જવાનોનાં પોઝીટીવ રીપોર્ટથી સમગ્ર સુરક્ષાતંત્ર ખળભળ્યુ છે હવે બાકીનાં 59 જવાનોનાં રીપોર્ટની પ્રતિક્ષા છે.

આજ રીતે અમદાવાદમાં પોલીટેકનીક ખાતે આવેલ માહીતિ ખાતાની ઓફીસમાં સહાયક નિયામક લાલજી ચાવડાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ઓફીસ સીલ કરી દેવામાં આવી છે અને તમામ સ્ટાફને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...