Skip to main content

જી.જી.હોસ્પીટલમાં આજે વધુ 125 દર્દીના સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા

જામનગરના 17, દ્વારકાના 55 અને મોરબી જીલ્લાના 53 દર્દીને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા: ગઈકાલે આવેલા સેમ્પલમાંથી 213 દર્દીના સેમાંપ્લનો રીપોર્ટ આવ્યો નેગેટીવ

જામનગર.તા.23
જામનગરની જીજી હોસ્પીટલમાં આજે સવારે વધુ 125 દર્દીને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જયારે ગઈકાલે આવેલા સેમ્પલમાંથી 213 દર્દીના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
જામનગરની જીજી હોસ્પીટલમાં રોજે રોજ અસંખ્ય દર્દીને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ પરિક્ષણ અર્થે આવે છે. આજે જામનગરની જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસના પૃથ્થકરણ માટેની લેબમાં વધુ 125 દર્દીના સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા છે.
આજે જીજી હોસ્પીટલમાં જામનગરના 17, દેવભૂમિ દ્વારકાના 55 અને મોરબી જીલ્લાના 53 દર્દીને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા હતા. આજે આવેલા દર્દીના સેમ્પલનો રીપોર્ટ સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે.
ગઈકાલે પણ જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા હતા. જેમાંથી 213 દર્દીના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

Comments